Daily Darshan 2
ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખ-દુઃખ આવે છે તે પોતાને કર્મે કરીને આવે છે ને જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું સુખ-દુઃખ થાય છે તે કર્મનું પ્રેર્યું થાતું નથી; ભગવાનના ભક્તને તો જેટલું દુઃખ થાય છે તે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે. (પ્ર. ૩૪)