Daily Darshan 2
ભગવાનને દર્શને આવવું હોય અથવા ભગવત્કથા-વાર્તા સાંભળવી હોય તથા ભગવાનની માનસી પૂજા કરવી હોય ઇત્યાદિક જે જે ભગવાન સંબંધી ક્રિયા તેને કર્યા સારુ સ્નાનાદિક જે પોતાની દેહ ક્રિયા તેને અતિશે ઉતાવળો થઈને કરે; અને કાગળ લખીને અમે કોઈક વર્તમાન ફેરવ્યું હોય તો તેને કરવાને અર્થે પણ આકળો થઈ જાય. અને મોટું માણસ હોય તો પણ ભગવાનનાં દર્શન સારુ બાળકની પેઠે અકળાઈ કરવા માંડે; એવાં જેનાં લક્ષણ હોય તેને તીવ્ર શ્રદ્ધાવાન જાણવો. અને જે આવી શ્રદ્ધાવાળો હોય તે સર્વે ઇન્દ્રિયોને પણ તત્કાળ વશ કરે છે. (મ. ૧૬)