Daily Darshan 2
જેને ભગવાનને સંતને વિષે જ આત્મબુદ્ધિ છે, જેમ કોઈક રાજા હોય ને તે વાંઝિયો હોય ને પછી તેને ઘડપણમાં દીકરો આવે પછી તે છોકરો તેને ગાળો દે, મૂછો તાણે તો પણ અભાવ આવે નહિ અને કોઈકના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે તો પણ કોઈ રીતે તેનો અવગુણ આવે જ નહિ. શા માટે જે એ રાજાને પોતાના દીકરાને વિષે આત્મબુદ્ધી થઇ ગઈ છે, એવી જેને ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ થાય છે તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગનો જાણ્યો છે. (મ. ૫૪)