Daily Darshan 2
જેને સાક્ષાત્ ભગવાનની પ્રાપ્તિ થઈ છે, તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહિ; તેની તો ભગવાન રક્ષા કરે છે અને જે ભગવાન થકી વિમુખ છે તે તો બોલતાં ચાલતાં દેહ મૂકે છે પણ તેનું કલ્યાણ થાતું નથી ને મરીને યમપુરીમાં જાય છે. (પ્ર. ૧૪)