Daily Darshan 2
મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઇત્યાદિ વાજિંત્ર વજાડીને કીર્તન ગાવવાં, તેને વિષે તો ભગવાનની સ્મૃતિ ન રહે, તો એ ગાયું તે ન ગાયા જેવું છે, ને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે, તથા વાજિંત્ર વજાડે છે, પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનનાં કીર્તન ગાવવાં તથા નામ-રટણ કરવું તથા નારાયણ-ધૂન્ય કરવી ઇત્યાદિક જે જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભારીને જ કરવું. (પ્ર. ૨૨)