Daily Darshan 2
જે ભગવાન તેને અર્થે જે તપને કરતો હોય તથા યોગને સાધતો હોય તથા પંચવિષયના અભાવને કરતો હોય તથા વૈરાગ્યવાન હોય, ઇત્યાદિક જે જે સાધન તે ભગવાનની પ્રસન્નતો અર્થે નિર્દંભપણે કરે તે ગમે. અને એવાને દેખીને અમારું મન રાજી થાય છે, જે એને શાબાશ છે જે આવી રીતે વર્તે છે. (છે. ૩૦)