Daily Darshan 2
જેની બુદ્ધિમાં ધર્માંશ વિશેષપણે વર્તતો હોય, ને આસ્તિકપણું હોય જે, આ લોકમાં સારું-નરસું કર્મ કરે છે તેનું જે સારું-નરસું ફળ તેને જરૂર પરલોકમાં ભોગવે છે એવી દૃઢ મતિ જેને હોય, તથા લાજ હોય જે ભૂંડું કરશું તો આ લોકમાં માણસ આગળ શું મુખ દેખાડશું ? એવો જે હોય, તે ગમે ત્યાં જાય તો પણ એને કોઈ પદાર્થ તથા સ્ત્રી આદિક તે બંધન કરી શકે નહિ. (છે. ૨૬)