Daily Darshan 2
અંતકાળે એ ત્રણ અવસ્થા થકી પર ને બ્રહ્મરૂપ એવો પોતાના જીવાત્માને સાક્ષાત્કાર માનતો થકો જે દેહ મૂકે તે તો જેવી ઈશ્વરને સામર્થી હોય તેવી સામર્થી જણાવીને દેહ મૂકે છે ને એમ બ્રહ્મરૂપ થઈને ને સામર્થી જણાવીને દેહ મૂકવો તે ભગવાનના ભક્તને જ થાય છે, પણ બીજા વિમુખ જીવને એમ થાય જ નહિ. (પ્ર. ૭૭)