Daily Darshan 2
એક તો ભગવાન, ને બીજા ભગવાનના ભક્ત, ને ત્રીજા બ્રાહ્મણ, ને ચોથો કોઈક ગરીબ મનુષ્ય એ ચારથી તો અમે અતિશે બીએ છીએ જે રખે એમનો દ્રોહ થઈ જાય નહિ ને એવા તો બીજા કોઈથી અમે બીતા નથી. કેમ જે એ ચાર વિના બીજાનો કોઈક દ્રોહ કરે તો તેના દેહનો નાશ થાય, પણ જીવ નાશ પામે નહિ, અને એ ચારમાંથી એકેનો જો દ્રોહ કરે તો તેનો જીવ પણ નાશ પામી જાય છે. (વ. ૧૧)