
Daily Darshan 2
ભક્તને ક્યારેક અસત્ દેશ, અસત્કાળ, અસત્સંગ ને અસત્ શાસ્ત્રાદિકને યોગે કરીને અથવા દેહાભિમાને કરીને ભગવાનનાં ચરિત્રને વિષે સંદેહ થાય ને ભગવાનનો અભાવ આવે તો એ જીવ પૂર્ણમાસીના ચંદ્ર જેવો હતો, પણ પાછો અમાવસ્યાના ચંદ્ર જેવો થઈ જાય છે, માટે પોતામાં જે કાંઈક થોડી ઘણી ખોટ હોય તે એ જીવને ઝાઝી નડતી નથી, પણ પરમેશ્વરના ચરિત્રમાં કોઈ રીતે સંદેહ થાય અથવા પરમેશ્વરનો કોઈ રીતે અભાવ આવે ત્યારે એ જીવ કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય છે. (વ. ૧૨)