Daily Darshan 2
ધર્મ ને ભક્તિ તો બે નથી; એક જ છે. અને જે ધર્મ સ્થાપનને અર્થે ભગવાનના અવતાર થાય છે તે પણ એ જ ધર્મના સ્થાપનને અર્થે થાય છે, અને જે કેવળ વર્ણાશ્રમના ધર્મ છે તે તો ભાગવત ધર્મ થકી અતિશે ગૌણ છે, અને ભાગવત ધર્મે કરીને તો જીવ જે તે ભગવાનની માયાને તરીને પુરુષોત્તમના ધામને પામે છે. (છે. ૨૧)