Daily Darshan 2
એક તો આત્મનિષ્ઠાની દૃઢતા જોઈએ અને બીજું પંચવિષયનું તુચ્છપણું જાણ્યું જોઈએ અને ત્રીજું ભગવાનનું અતિશે માહાત્મ્ય જાણ્યું જોઈએ જે, ભગવાન વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ સર્વે ધામના પતિ છે, માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું ? એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે અને વળી એમ વિચાર કરે જે, ભગવાનને ભજતાં થકાં પણ કાંઈક ખોટ રહી જાશે ને કદાપિ જો ભગવાનના ધામમાં નહિ જવાય ને ઈન્દ્રલોક તથા બ્રહ્મલોકને વિષે ભગવાન મૂકશે તો ય પણ આ લોકના કરતાં તો ત્યાં કોટી ગણાં વધુ સુખ છે, એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાસનાએ રહિત થાવું. અને એવી રીતે ભગવાનનો મહિમા જાણીને વાસનાએ રહિત થાય છે. (પ્ર. ૬૦)