Daily Darshan 2
પૂર્વે મોટા પુરુષનો સંગ હશે અથવા ભગવાનનું દર્શન થયું હશે તેને તો પોતાના જ અવગુણ ભાસે પણ બીજા હરિભક્તના અવગુણ ભાસે જ નહિ ને એવાં જેનાં લક્ષણ હોય તેને દૈવી જીવ જાણવા. અને જે આસુરી જીવ હોય તેને તો પોતામાં એકે અવગુણ ભાસે નહિ અને બીજા જે હરિભક્ત હોય તેને વિષે જ કેવળ અવગુણ ભાસે એવી જેની બુદ્ધિ હોય તેને આસુરી જીવ જાણવો. (મ. ૪૪)