Daily Darshan 2
જેને આત્મનિષ્ઠા છે ને વૈરાગ્ય છે ને ભગવાનમાં પ્રીતિ પણ સાધારણ જેવી છે તે તો એમ જાણે છે જે, મારા જીવાત્માને વિષે જ આ ભગવાનની મૂર્તિ અખંડ બિરાજમાન છે, એમ જાણીને ઉપરથી તો ભગવાનની મૂર્તિનાં દર્શન-સ્પર્શાદિકને વિષે આતુરતા જેવું નથી જણાતું ને શાંતપણા જેવું જણાય છે, તો પણ એની પ્રીતિનાં મૂળ ઊંડા છે તે કોઈ કુસંગને યોગે કરીને પણ એની પ્રીતિ ઓછી થાય એવી નથી, માટે એ ભક્ત શ્રેષ્ઠ છે ને એકાંતિક છે. (સા. ૧૫)