
Daily Darshan 2
જો ખબરદાર થઈને મંડે તો આ ને આ દેહ જ સર્વે કસર મટી જાય અથવા દેહપર્યંત કસર ન મટી હોય ને અંત સમે જ નિર્વાસનિક થાય ને ભગવાનને વિષે અતિશે પ્રીતિ થાય તો અંતકાળે પણ ભગવાનની કૃપા થાય ને ભગવાનના ધામને પામે, માટે એક દેહે અથવા અનંત દેહે અથવા અંતસમે એક ઘડી મૃત્યુ આડી રહી હોય ત્યારે પણ જો અતિશે ભગવાનને વિષે વૃત્તિ જોડાઈ જાય તો તે ભક્તને કોઈ જાતની કસર રહેતી નથી. (સા. ૧૧)