
Daily Darshan 2
ભગવાન તો મનુષ્યદેહ ધારણ કરે છે તો પણ કૈવલ્યરૂપે જ છે અને તે ભગવાન જે જગ્યામાં વિરાજતા હોય તે જગ્યા પણ નિર્ગુણ છે અને તે ભગવાનનાં વસ્ત્ર, અલંકાર તથા વાહન તથા પરિચર્યાના કરનારા સેવક તથા ખાનપાનાદિક જે જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે એવી રીતે જેણે ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેઠે જ પંચવિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી ને તે સ્વતંત્ર થાય છે. અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વ અવતારનું કારણ છે અને સર્વ અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિષે લીન થાય છે. (મ. ૧૩)