Daily Darshan 2
જે જીવ ભગવાનને સર્વ કર્તા-હર્તા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી અને ગૌહત્યા, બ્રહ્મહત્યા, ગુરુસ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેત્તા સદ્ગુરુનો દ્રોહ તે થકી પણ એને વધુ પાપી જાણવો, કાં જે ભગવાન વિના બીજા જે કાળ-કર્માદિક તેને એ કર્તા જાણે છે, માટે એવો જે નાસ્તિક ચંડાળ હોય તેની તો છાયામાં પણ ઊભું રહેવું નહિ ને ભૂલમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહિ. (કા. ૧૦)