Daily Darshan 2
આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેણે કરીને જેણે માયિક ઉપાધિનો ત્યાગ કર્યો તેને તો પાછી કોઈ કાળે માયિક ઉપાધિ વળગતી નથી, અને એ જો કોઈક કાળે દેહ ધરે તો જેમ ભગવાન સ્વતંત્ર થકા દેહ ધરે છે તેમ તે પણ સ્વતંત્ર થકો દેહ ધરે છે. પણ કાળ, કર્મ ને માયા તેને આધીન થકો દેહને નથી ધરતો માટે બ્રહ્મરૂપ થઈને પરમેશ્વરને ભજે તે જ શ્રેષ્ઠ છે. અને આ વાર્તા છે તે જે પરમેશ્વરનો અનન્ય ભક્ત છે અને એકાંતિક ભક્તના લક્ષણે યુક્ત છે તેને જ સમજાય છે. (અ. ૨)