
Daily Darshan 2
જે તેજને વિષે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજ્યો, ને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજ્યો જે અક્ષરરૂપ જે તેજ તેને વિષે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે એમ જાણશો, તો પણ તમારે મારે વિષે હેત રહેશે તેણે કરીને તમારું પરમ કલ્યાણ થાશે અને આ વાતને નિત્યે નવી ને નવી જાણજ્યો પણ ગાફલપણે કરીને વિસારી દેશો મા, આજ છે તેવી જ કાલ નવી ને નવી રાખજ્યો, અને તેવી જ દેહનો અંત થાય ત્યાં સુધી દિન દિન પ્રત્યે નવી ને નવી રાખજ્યો, અને જે જે ભગવાનની વાત કરો તે તે વાતને વિષે આ વાતનું બીજ લાવજ્યો. (મ. ૧૩)