Daily Darshan 2
ભગવાનની મૂર્તિ તો સદા એકસરખી છે તો પણ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડી જોઈએ ત્યાં તેવી પોતાની ઇચ્છાએ કરીને દેખાડે છે અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરે છે અને પોતે તો સદા દ્વિભુજ છે તો પણ પોતાની ઇચ્છાએ કરીને ક્યાંય ચાર ભુજ, ક્યાંય અષ્ટ ભુજ, ક્યાંય અનંત ભુજ દેખાડે છે તથા મચ્છ-કચ્છાદિક રૂપે કરીને ભાસે છે, એવી રીતે જ્યાં જેવું ઘટે ત્યાં તેવું રૂપ પ્રકાશે છે અને પોતે તો સદા એક રૂપે જ વિરાજમાન રહે છે. અને વળી એક ઠેકાણે રહ્યા થકા અનંતકોટી બ્રહ્માંડને વિષે અંતર્યામીરૂપે વ્યાપીને રહે છે. (લો. ૪)