Daily Darshan 2
જેનો બાળકપણાથી જ એવો સ્વભાવ હોય જે કોઈની છાયામાં તો દબાય જ નહિ, અને એ જ્યાં બેઠો હોય ત્યાં કોણેય હાંસી-મશ્કરી થાય નહિ, અને તેને કોણેય હળવું વેણ પણ કહેવાય નહિ, એવાં જેનાં લક્ષણ હોય તે કોઈ દિવસ ધર્મ, વૈરાગ્ય, જ્ઞાન ને ભગવાનની ભક્તિ તેમાંથી પડે જ નહિ. (મ. ૧૫)