
Daily Darshan 2
પંચ મહાપાપના કરનારાનો કોઈ દિવસ છૂટકો થાય, પણ ભગવાનના ભક્તના દ્રોહના કરનારાનો કોઈ દિવસ છૂટકો થાતો નથી. માટે ભગવાનના ભક્તની જે સેવા-ચાકરી કરવી તે બરોબર કોઈ પુણ્ય નથી, ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે બરાબર કોઈ પાપ નથી, માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને મન-કર્મ-વચને શુદ્ધ ભાવે કરીને સેવવા. (મ. ૬૩)